ખંભાતના સીલીકોસીસ પીડીતો માટેના સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કરવા માંગણી

આણંદ, તા. ૧૬
ખંભાત સહિત રાજ્યમાં સિલિકીસીસ પીડિતો માટે કાર્ય કરતી સંસ્થા પીટીઆરસીએ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં સુપ્રીમ કોર્ટના તા.૧૧/૦૪/૨૦૧૭ના હુકમ અનુસાર ગુજરાતમાં સીલીકોસીસને કારણે મ્રુત્યુ પામેલા તમામ કામદારોના વારસદારોને રુ. ૩ લાખની સહાય ચુકવવા, રાજસ્થાન અને હરીયાણાની જેમ સીલીકોસીસ પીડીતોના પુનઃસ્થાપન માટે સર્વગ્રાહી નીતી ઘડીને અમલમાં મુકવા અને રાશ્ટ્રીય માનવ અધીકાર પંચ દ્વારા ફરીયાદ નં. ૩૫૧/૬/૩/૨૦૧૦માં પંચે ખંભાતના અકીક કામદારોના કલ્યાણ માટે કરેલ ભલામણોનો સંપુર્ણ અમલ કરવાની માગણી કરી છે.
આ અંગે પીટીઆરસી ના ડાયરેકટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે,સુપ્રીમ કોર્ટમાં સીલીકોસીસ મુદ્દે જાહેર હીતની અરજી ૨૦૦૬માં દીલ્હીની સ્વૈછીક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી હજુ ચાલુ છે. સદર અરજીમાં કોર્ટે તા.૨૩/૦૮/૨૦૧૬ને દીવસે મધ્ય પ્રદેશના સંબંધીત જીલ્લાઓના કલેક્ટરોને આદેશ કરતાં જણાવેલું,”તપાસ દરમીયાન એમ જાણવા મળે કે સીલીકોસીસ પીડીત વ્યક્તીનું અવસાન થયું છે તો જીલ્લા કલેક્ટરે સરકારી નીતી મુજબના લાભો તેમજ રુ. ૩ લાખનું વળતર ચુકવવા પગલાં લેવાં.” તા. ૧૧/૦૪/૧૭ને દીવસે કોર્ટે બીજાે હુકમ કરતાં જણાવ્યું કે, “સીલીકોસીસ પીડીત વ્યક્તીના અવસાન બાદ તેના કુટૂંબને રુ. ૩ લાખનું વળતર ચુકવવા સંબંધે કોર્ટે તા.૨૩/૦૮/૧૬ને રોજ હુકમ કરેલ છે. હવે એ હુકમનું પાલન દરેક રાજ્યએ કરવાનું છે.”
ગુજરાત રાજ્ય હજુ આ હુકમનું પાલન કરતું નથી. ખંભાતના સવીતાબેન ચિમનભાઇ વાઘરીના પતીનું સીલીકોસીસને કારણે ૭/૦૯/૧૪ના રોજ અવસાન થયું. તેમણે સહાય માટે અરજી કરી અને તા.૫/૦૧/૧૬ના રોજ તેમને રુ.૧ લાખની સહાયનો ચેક અપાયો. તેમણે ૧/૦૩/૧૯ને રોજ કલેક્ટર, આણંદ અને ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને “બાકીના રુ.૩/- લાખ” ચુકવવા રજુઆત કરી. તા.૧૫/૦૨/૨૦ને રોજ તેમણે પીટીઆરસીને રજુઆત કરી અને સંસ્થાએ ૯/૧૨/૨૦ને રોજ રા. મા. અ.પંચ સમક્ષ ફરીયાદ કરી અને પંચે ૨૦/૦૧/૨૧ને રોજ રુ.૩ લાખ ચુકવી બે મહીનામાં જવાબ આપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી. ૪૬ વર્ષના થાનના હરીશ કરસન પરમારનું તા.૨૫/૦૮/૧૯ને રોજ સીલીકોસીસને કારણે અવસાન થયું તેમણે ૧૬ વર્ષ સુધી સ્થાનીક સીરામીક એકમોમાં ગ્લેઝ કારીગર તરીકે કામ કરેલું. તેમના કુટૂંબે સહાય માટે અરજી કરી. તા.૨૧/૦૧/૨૦ને રોજ તેમને રુ.૧/- લાખની સહાય ચુકવાઇ. માત્ર સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન નથી થતું એવું નથી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ૨૧/૧૨/૨૦૧૭ને રોજ ખંભાતના અકીક કામદારોના કલ્યાણ અને પુનઃસ્થાપન માટે હરીયાણાની જેમ સર્વગ્રાહી નીતી ઘડવાની ભલામણ કરી હતી. તેને સાડા ત્રણ વર્ષ વીતી ગયા છતાં હજુ તેનો અમલ થયો નથી. અકીક કામદારો સીલીકોસીસનો ભોગ ન બને તે માટે અકીક્ના એકમો પર દેખરેખ રાખવા પણ સુચના આપી હતી. પી.એમ.પટેલ એંડ સન્સના કેસમાં ૧૯૮૬માં સુપ્રીમ કોર્ટે આપેલ ઉકાદાનો હવાલો આપી પંચે અકીક કામદારોનો પી.એફ. કાપવા ભલામણ કરી હતી તેને રાજ્ય સરકારે નકારી કાઢી. સદર ચુકાદામાં કોર્ટે જણાવેલું કે ઘરે બેસી કામ કરતા કામદારો પણ પી.એફ. કાયદાની કામદારની વ્યાખ્યામાં આવી જાય છે. અકીક કામદારોને લઘુત્તમ વેતન, બોંસ કાયદો, ઇ.એસ.આઇ. કાયફો, ગ્રેજ્યુઇટી કાયદો વીગેરે કાયદાના લાભ મળવા જાેઇએ. મધ્ય પ્રદેશના મંદ્સૌરમાં રાજ્ય સરકારે સ્લેટ પેંસીલના એકમોને રહેવાસી વીસ્તારોમાં ચલાવવા પર પ્રતીબંધ મુક્યો છે તે રીતે ખંભાતમાં પણ રહેવાસી વીસ્તારોમાં અકીકના કારખાના ન ચાલવા દેવા, અને તે માટે આવા એકમોને વીજજાેડાણ ન આપવા, અકીક કામદારોના ક્લ્યાણ માટે ક્લ્યાણ બોર્ડ બનાવવા, ઔદ્યોગીક વીસ્તારોમાં અકીક એકમો સ્થપાય તે પહેલાં પર્યાવરણીય મંજુરી મેળવવા અને પ્રદુષણ નીયંત્રણ બોર્ડ દ્વારા તેના પ૫ર દેખરેખ રાખવા, અકીક કામદારોના પીસ રેટ મુજ્બ લઘુત્તમ વેતન નક્કી કરવા ભલામણ કરી હતી પરંતુ સરકારે કોઇ પગલાં લીધાં નથી. સરકારે આઠ અઠવાડીયામાં પોતાનો અહેવાલ મોકલવાનો હતો પણ હજુ મોક્લ્યો હોવાનું જણાતું નથિ.
સંસ્થાએ પોતાની રજુઆતમાં ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં જુદા જુદા અનેક વ્યવસાયોમાં કામદારો સીલીકોસીસનો ભોગ બનતા હોવાની માહીતી આપી જ્ણાવ્યું છે કે મોટાભાગના કામદારોને ઇ.એસ.આઇ. કાયદો લાગુ પડતો નથિ. સીલીકોસીસ રોગથી પીડતા કામદારોને હાલ સરકાર કોઇ સહાય આપતી નથી. એમનું મરણ થાય તે પછી જ સહાય મળે છે. એમને જરુર હોય છે, જ્યાર તેઓ જીવતા હોય છે ત્યારે. સરકારને ઉદ્યોગો પાસેથી ટેક્સને રુપે કમાણી થાય છે અને ઉદ્યોગોને નફો મળે છે પણ કામદારોને રોગ અને મોત મળે છે. સમાજ માટે સંપત્તીનું સર્જન કરતા કામદારોનું રક્ષણ સમાજે કરવું જાેઇએ. હાલ સરકારે સિલીકોસીસને કારણે થતા મ્રુત્યુ માટે સહાય આપવા જે યોજના ઘડી છે તે સમાજમાં ભાગલા પડાવનારી, ભેદભાવવાળી અને અસમાનતા ઉભી કરનારી છે. માનવ અધીકાર પંચ સમક્ષ થયેલી ફરીયાદોમાં જેમના નામ સામેલ હોય તેવા પીડીત કુટુંબોને રુ. ૪/- લાખ અને જેમના નામ ફરીયાદમાં ન હોય તેવા સીલીકોસીસ મ્રુત્યુ માટે માત્ર એક લાખની નીતીને બદલવાની જરુર છે તેવી માગણી સંસ્થાએ કરી છે.