ભારતમાં ફરી ફેલાઈ ઘાતક બીમારી: સૌથી પહેલા પેટ થશે ખરાબ: કલાકમાં જતો રહેશે જીવ
કોરોનાથી માંડ છૂટેલી દુનિયામાં કોલેરા નામની બીજી મહામારી ફેલાઈ રહી છે

ભારતમાં થોડા વર્ષો પહેલા સુધી કોલેરાનું નામ સાંભળીને લોકો ડરી જતા હતા. કારણ કે, 1817માં બંગાળથી શરૂ થયેલા આ રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંત સુધીમાં 10-20 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ હવે ફરી તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેની જાણકારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે કુલ 43 દેશોમાં 100 મિલિયન લોકો પર કોલેરાનું જોખમ છે જેમાં ભારત અને પાકિસ્તાન બન્ને સામેલ છે.
WHOના જણાવ્યા પ્રમાણે કોલેરા હજુ પણ દુનિયા માટે મોટો ખતરો છે, જે ગમે ત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી ભવિષ્ય વિશે કંઈ પણ નક્કર કહેવું ખોટું હશે. પરંતુ આનાથી વધુ ડરવાની જરૂર નથી, કારણ કે આ રોગચાળાને યોગ્ય નિવારણ અને સાવચેતીથી નિયંત્રિત કરી શકાય છે. 2011 થી 2020 ની વચ્ચે, ભારતમાં કોલેરાના 565 કેસ નોંધાયા હતા જેમાં 263 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કોલેરા એ પાણી અને વાઇબ્રિયો કોલેરા બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત ખોરાકના વપરાશને કારણે થતો તીવ્ર ઝાડાનો ચેપ છે. આ રોગ બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને અસર કરી શકે છે. માટે દરેકે જરૂરી સાવચેતી રાખવી જોઈએ.
કોલેરા સૌથી પહેલા પેટમાં ઈન્ફેક્શન પેદા કરે છે. પેટમાં ગરબડ કોલેરાનું પ્રથમ લક્ષણ છે. આ લક્ષણ ચેપ લાગ્યાના 12 કલાકથી 5 દિવસની અંદર દેખાઈ શકે છે, જો કે, કેટલાક લોકો આવા લક્ષણો વગર પણ કોલેરાની ચપેટમાં આવી શકે છે. 12 કલાકની અંદર પેટમાં ગરબડ થયા બાદ ગંભીર ડાયેરિયા થઈ શકે છે, જેના કારણે શરીરમાં પાણીની જીવલેણ કમી થઈ શકે છે.
કોલેરાના ગંભીર કેસોમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે. કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, જો તેની ગંભીર બીમારીમાં તબીબી સહાય મેળવવામાં વિલંબ થાય છે, તો દર્દી થોડા કલાકોમાં જ મૃત્યુ પામી શકે છે. તેથી ગંભીર ઝાડાની સમસ્યાને હળવાશથી લેવાની ભૂલ ન કરો અને ડોક્ટર પાસે જાઓ.
કોલેરાના ગંભીર કેસોમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે. કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, જો તેની ગંભીર બીમારીમાં તબીબી સહાય મેળવવામાં વિલંબ થાય છે, તો દર્દી થોડા કલાકોમાં જ મૃત્યુ પામી શકે છે. તેથી ગંભીર ઝાડાની સમસ્યાને હળવાશથી લેવાની ભૂલ ન કરો અને ડોક્ટર પાસે જાઓ.
જ્યારે ઝાડા થાય ત્યારે તરત જ ઓઆરએસનું સેવન કરવાનું શરૂ કરો. પુખ્ત દર્દીએ પ્રથમ દિવસે 6 લિટર ઓઆરએસ સોલ્યુશન પીવું જોઈએ. જો હજુ પણ સ્થિતિમાં સુધારો ન થાય તો તરત જ હોસ્પિટલમાં જઈને સારવાર કરાવો.