ગુજરાતટૉપ ન્યૂઝનવી દિલ્હી

જલ્દી કરો, નહીં તો તમારૂ પાનકાર્ડ થઈ જશે ઈનએક્ટિવ

શું તમારું PANCARD-આધાર છે લિંક? નથી ખ્યાલ, તો આ રીતે જાણો માત્ર એક ક્લિકમાં, આ રહી લિંક કરવાની સરળ પ્રોસેસ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જાહેર કર્યું છે કે 31 માર્ચ 2023 સુધીમાં કરદાતા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરે તો તેમના પાનકાર્ડને નિષ્કિય કરી દેવામાં આવશે. વિભાગે એમ પણ જણાવ્યું છે કે, પાનકાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહેલી વ્યક્તિના પાન નિષ્કિય થઈ જતાં પાનકાર્ડ માટેની તમામ પ્રક્રિયા સ્થિગિત થઈ જશે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનો મામલે સિનિયર ચાર્ટડ એકાઉન્ટન્ટ અજીત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, CBDT દ્વારા સર્ક્યુલર જાહેર કરી નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2020થી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું કહેવામાં આવી રહ્યું છે. બંન્ને સરકારી એજન્સી છે તો જાતે લિંક કેમ નથી કરતી એ સમજાતું નથી. કાર્ડ કાઢતા સમયે ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. આવો નિર્ણય પાછળનું કારણ જાણવા મળતું નથી.

Advertisement

તેઓએ જણાવ્યું કે, 31 માર્ચ પહેલા નાગરિકે પાન સાથે આધાર કાર્ડ લિંક કરાવવુ જરૂરી. 31 માર્ચ સુધીમાં લિંક નહીં કરાવનારનું પાન કાર્ડ અનએક્ટિવ થઈ જશે. પાન કાર્ડ ડિએક્ટિવ થતા પહેલી મુશ્કેલી બેંક ખાતામાં આવશે. પહેલા પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવવાની ફી રૂ.50 હતી બાદમાં રૂ.500 થઈ હતી. પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવવાની હવે રૂ.1000ની પેનલ્ટી છે. 31 માર્ચ બાદ લિંક કરાવવા માટે રૂ.10,000ની વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.

ચાર્ટડ એકાઉન્ટન્ટ અજીત શાહે જણાવ્યું કે, દંડ વિશે CBDT કે અન્ય કોઈ સરકારી માધ્યમ દ્વારા સત્તાવાર સરર્ક્યુલેશન જાહેર કરાયું નથી. આ નિર્ણયથી મહિલાઓને સૌથી વધુ અસર થશે. મહિલાઓ રિર્ટન નથી ભરતી જેથી તેમનું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી હોતું. રિટર્ન ન ભરનાર વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે તેમનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં. 31 માર્ચ બાદ ખાસ ગામડાઓના લોકોને મુશ્કેલી થશે.

Advertisement

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button