સમાચાર

IPL 2023ની સીઝનનો આજે રંગારંગ કાર્યક્રમ

IPL 2023ની પ્રથમ મેચને લઈ બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે

IPL 2023નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPLની પહેલી મેચને લઈ અમદાવાદીઓ સહિત ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહની લાગણી છે. જોકે આ બધાની વચ્ચે અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPLની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે 2:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. આ સાથે BRTSની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને AMTSની 91 બસ રાત્રે 1.30 વાગ્યા સુધી દોડાવાનું નક્કી કરાયું છે.

અમદાવાદમાં ગુરુવારે સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જોકે આજે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી ક્રિકેટરસિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે યોજાનાર IPL 2023ની પ્રથમ મેચને લઈ બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button