ગોકુળધામ નાર અને ભક્તિ સેવાશ્રમ યોગ મય બન્યું

આણંદ, તા. ૨૨
આણંદ જિલ્લાના તારાપુર ધર્મજ હાઇવે ઉપર આવેલા ગોકુળ ધામ નાર સંકુલ ખાતે આજે સાધુ સંતો અને ભક્તિ સેવા શ્રમ વૃદ્ધા શ્રમના વરિષ્ઠ વૃદ્ધ નાગરિકો એ વહેલી સવારે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી યોગ કરીને કરી હતી સ્વામી નારાયણ સંસ્થાના ગોકુળ ધામ નાર ખાતે આવેલા વૃદ્ધા શ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સામાન્ય રીતે નિયમિત યોગ કરતા રહે છે અને સ્વસ્થ રહે છે આજે પણ વિશ્વ યોગ દિવસના દિવસે પણ આ વરિષ્ઠ નાગરિકો એ ખૂબ સારી રીતે યોગાસન કર્યા હતા.
ગોકુળ ધામ નાર ખાતેના યોગ પ્રેરણા રૂપ સ્વામી હરે કૃષ્ણ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેરણાથી આ વરિષ્ઠ વૃદ્ધ નાગરિકો એ સામૂહિક પ્રયાસો કરીને યોગાસન કરી ખાસ યુવા પેઢી અને સમાજને એક સંદેશએ આપ્યો કે અમૂલ્ય માનવ જીવન પરસ્પર સદભાવના, પ્રેમ, સમાજ માટે ઉપયોગી બની રહે સર્વત્ર પ્રેમાળ વાતાવરણ, સર્વે સુખી હોય, સૌના મુખ પ્રસન્ન હોય એવા વાતાવરણ અને સમાજના નિર્માણ માટે સૌને પ્રેરક બળ મળે સાથે સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવું હોય અને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે, અને કોઈ પણ પ્રકારના રોગના સામે સ્વસ્થ રહી સુંદર અને પ્રેરણાદાયક જીવન જીવી શકાય ગોકુળ ધામ નાર ખાતે વરિષ્ઠ વૃદ્ધ નાગરિકાએ પૂરા જોશ ઉત્સાહથી યોગ કરીને સૌને પ્રેરણા પૂરી પાડી હતી. ભક્તિ સેવા શ્રમ ખાતે સમાજની વર્ત માન જરૂરી યાતને ધ્યાને લઇ વૃદ્ધ વડીલોની સાર સંભાળ અને કાળજી રાખી શકાય તે હેતુથી ભક્તિ સેવા શ્રમમાં વડીલોને આશ્રય આપવામાં આવે છે.
અહીં આ વડીલોને ઘર જેવું જ કુટુંબ જેવુજ વાતાવરણ મળી રહે તેમજ સંતોષ પૂર્વક સ્વાત્વિક જીવી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.